Abtak Media Google News

કોવીડ હોસ્પિટલનું હૃદય બની છે માઈકોબાયોલોજી વિભાગની ટેસ્ટીંગ લેબ: દૈનિક 2500થી 3000 ટેસ્ટ કરાય છે

દર્દી કોરાના પોઝીટીવ છે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે RTPCR  ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે.રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી ભજ્ઞદશમ-19 છઝઙઈછ લેબોરેટરી  જાણે કોવીડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.

રાજકોટની સિવિલની  લેબ દ્વારા અત્યાર સુધીમાં માર્ચ 2020 થી અત્યાર સુધીમાં 2,04072 આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમ્યાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય,ગીરસોમનાથ જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં અંદાજે 2500થી 3000 દૈનિક કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે.

RTPCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે.ત્યારબાદ વાઇરસમાં રહેલ છગઅને અલગ કરવામાં આવે છે.ત્યારબાદ ઙઈછ  ચેમ્બરમાં અલગ અલગ કરેલ છગઅને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી covid -19 વાઇરસ છે કે નહી તે જોવા માટે છઝઙઈછ મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. છઝઙઈછ મશીનમાં ગ્રાફ  જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે.આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે 6 થી 8 કલાક જેટલો સમય લાગે છે.

આ સમગ્ર પ્રકીયા માટે બાયો સેફટી કેબીનેટ કલાસ 2એ, આરટીપીસીઆર મશીન, માઇનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ ક્ધટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવેલ છે. પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.