Abtak Media Google News

એક સંતાનની માતાને પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યુ

પરિણીત મુસ્લિમ શખ્સે અપરિણીત હોવાનું કહી ઇન્સટાગ્રામમાં ઇસ્લામ ધર્મના કલમા મોકલી મૌલવી પાસે લઇ જઇ મુસ્લિમ બનવા માનસિક ત્રાસ ગુજાર્યો

માતા-પુત્રીની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ: એએસપી સહિતના પોલીસ અધિકારીઓ તપાસનો શરૂ કર્યો ધમધમાટ

હિન્દુ યુવતીઓને પ્રેમ ઝાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના બનાવ અટકાવવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જ લવ જેહાદ અંગે કાયદો અમલમાં લાવ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીની એક સંતાનની માતાને પરિણીત મુસ્લિમ શખ્સે ઇન્સટાગ્રામમાં ઇસ્લામ ધર્મના કલમા મોકલી મૌલવી પાસે લઇ જઇ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાની અને માતા-પુત્રીની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના રાધાનગરમાં રહેતા મહોમદ ઉર્ફે ડાડો ગની શમા નામના શખ્સે ધોરાજીની એક સંતાનની માતાને દોઢેક વર્ષ પહેલાં પ્રેમ ઝાળમાં ફસાવી રાધાનગરના મેદાનમાં અને અન્ય સ્થળે લઇ જઇ માતા-પુત્રીની હત્યા કરવાની ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને ધર્મ પરિવર્તન કરવા મૌલવી પાસે લઇ જઇ દબાણ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાં ગુનો નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મહોમદ ઉર્ફે ડાડો શમાએ હિન્દુ પરિણીતાને દોઢેક વર્ષ પહેલાં પરિચયમાં આવ્યા બાદ પોતે અપરિણીત હોવાનું જણાવી લગ્નની લાલચ દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. મહોમદ ઉર્ફે ડાડોએ મોબાઇલના માધ્યમથી ઇન્સટાગ્રામ દ્વારા ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કલમા મોકલ્યા હતા તેમજ મૌલવી પાસે લઇ જઇ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યાનું પરિણીતાને તુ મુસ્લિમ બની ગયાનું કહી મહોમદ શમાએ પરિણીતાને મંદિરે ન જવા અને કપાલમાં ચાંદલો કરવાની ના કહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ધોરાજીની હિન્દુ પરિણીતાને પ્રેમ ઝાળમાં ફસાવી મુસ્મિલ ધર્મ અંગીકાર કરવા અંગેની લવ જેહાદની ઘટના સામે આવતા હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મહોમદ ઉર્ફે ડાડો શમા સામે લવ જેહાદ અંગેનો ગુનો નોંધી એએસપી સાગર બાગમરે અને પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.