Abtak Media Google News

15 ઓગસ્ટથી હોટલ અને શોપિંગ મોલ્સ રાત્રે 10વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે: આરોગ્ય મંત્રીની જાહેરાત

રાજ્યમાં હોટલો, રેસ્ટોરાં અને મોલ શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ અંગે હવે મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપી છે કે હોટલ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ નિયમ 15 ઓગસ્ટ પછી લાગુ કરવામાં આવશે.

Advertisement

ઉપરાંત ખાનગી કાર્યાલયને એક સાથે ભીડને ટાળવા હેતુ 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી શિફ્ટમાં કામ કરવું શક્ય બનશે. ખાનગી કચેરીઓમાં જે કર્મચારીઓને રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે, તેઓ 100 ટકા ક્ષમતા સાથે કામ કરી શકે છે. જોકે, થિયેટરો અને મંદિરો આગામી સૂચના સુધી બંધ રહેશે. શોપિંગ મોલ સવારે 10 વાગ્યાથી ખુલ્લા રહેશે, પરંતુ જેઓ ત્યાં જાય છે તેમણે રસીના બે ડોઝ લીધા હોવા જોઈએ. ઓફિસમાં સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને પહેલા રસી આપવાની છૂટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.