Abtak Media Google News

વિજય રૂપાણીએ થોડા દિવસો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ વિજય રૂપાણી કાલે માદરે વતન રાજકોટ પરત ફર્યા હતા. ત્યારે આજ રોજ રાજકોટ-ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભા-69 વિસ્તારમાં આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ચાર્જ સહ ઈન્ચાર્જ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ સંવાદ બેઠકમાં હાજર રહ્યા હતા.

ભાજપના આગેવાનો,કોર્પોરેટર,કાર્યકતાઓ સાથે  સંવાદ બેઠક યોજી હતી. સંવાદ બેઠકમાં સાંસદ મોહન કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ,લાખાભાઈ સાગઠિયા, મેયર ડો.પ્રદીપ ડવ,મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ,કશ્યપ શુક્લા, અંજલીબેન રૂપાણી,પ્રભારી ઝવેરભાઈ ઠકરાર સહિતના આગેવાનો કાર્યકતાઓ રહ્યા હાજર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.