Abtak Media Google News

અબતક જય વિરાણી, કેશોદમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી છે. ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મર્ડર કેસ વગેરેના બનાવો વધતાં જાય છે. ત્યારે હવે ગામના નિવૃત્ત શિક્ષક ગુનાખોરીનો ભોગ બન્યા છે. કેશોદના સરદારનગરમાં વહેલી સવારે એક નિવૃત શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

કેશોદમાં સરદારનગરમાં બે અજાણ્યા શખ્સોએ નિવૃત શિક્ષક પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ શિક્ષકનું નામ બિપીનભાઇ પંડયા છે. આ શખ્સોએ વહેલી સવારે ઘરમાં ઘૂસીને માથા, ખંભા અને પગમાં માર્યા છરીના ઘા માર્યા હતા. વહેલી સવારે આવી નિવૃત શિક્ષક પર છરી વડે તૂટી પડતા તેઓને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમણે સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.