Abtak Media Google News

જામનગરથી આઠ દિવસ પહેલાં જ ભાણવડ આવ્યા’તા: એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં માતા, પુત્રી અને દોહિત્રીએ ઝેર પી સામુહિક આપઘાત કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે. એક જ પરિવારની ત્રણ વ્યક્તિ ના મોતથી મામત છવાયું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જામનગરના ન્યુ જેલ રોડ પર પાણીના ટાંકા પાસે રહેતા સાહિસ્તા ઉર્ફે સોનુ નુરમામદ શેખ (ઉ.વ.18), નુરજાબાનુ નુરમામ શેખ (ઉ.વ.42) અને જેનમબાનુ કાસમખાન સરવાણીયા નામની 63 વર્ષની વૃધ્ધાએ ઝેરી દવા પી આપઘાત કર્યાની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. નિકુંજ જોષી રાઇટર દુદાભાઇ જયદેવસિંહ જાડેજા અને કિશોરભાઇ નંદાણીયા, સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નુરજાબાનુ શેખ તેની પુત્રી સાહિસ્તા ઉર્ફે સોનુ સાથે આઠ દિવસ પહેલાં જામનગરથી ભાણવડ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક સાથે ત્રણેય શા માટે જીવન ટૂંકાવ્યા તે અંગે પોલીસે મૃતકના સગા-સંબંધીઓની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.