Abtak Media Google News

ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતીના હિત વિરૂધ્ધના મનઘડત અને તઘલખી નિર્ણયો સામે મનાઈ હુકમ માટે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.રાજકોટમાં ગુજરાતી મચ્છુ કડીયા દરજી જ્ઞાતીના પ્રમુખ ધર્મેન્દ્ર પરમાર અને મંત્રી પરેશ ચાવડા સામે રાજકોટના જ્ઞાતીના અગ્રણી  વિમલભાઇ દિલીપભાઇ ચાવડાએ જ્ઞાતીના હીત વિરૂધ્ધ અને મનઘડત નિર્ણયો સામે નારાજ થઇ અને જ્ઞાનીના બંધારણ વિરૂધ્ધના જ્ઞાતીનું અહીત થાય તેવા નિર્ણયો સામે નારાજ થઇ રાજકોટની દીવાની અદાલતમ દીવાની દાવો દાખલ કરેલ છે.

જેમાં તેઓએ જણાવ્યું છે કે જ્ઞાતીના સન્માન સમારોહ  વર્ષથી થતો આવે છે જેમાં મધુસુદન પરમાર, જીતેન્દ્ર ચૌહાણ અને ધર્મેશ પરમારએ તેઓની સામાન્ય રકમમાં સન્માન સમારોહનું ઉઘાટન કરતા આવ્યા છે અને જેની સામે જ્ઞાતીની ખુબજ મોટી રકમનો આ સન્માન સમારોહમાં ખર્ચ થઈ રહયો છે. વિમલભાઈ ચાવડાએ જયારે મોટા અનુદાનની ગત2019 માં આપતા મહામુશ્કેલીએ તેઓને આ સન્માન સમારોહનું ઉઘાટન ક2વા મળેલ હતું અને આ વર્ષે ઉપરોકત ત્રણેય બની બેઠેલા દાતાઓ સામાન્ય રકમની ઓફર કરી સન્માન સમારોહનો જશ લેવા માંગે છે.

જયારે વિમલ ચાવડાએ તેઓથી વધારે રકમના અનુદાનની શાતી માટે ઓફર કરેલ હોવા છતા તેઓને ઉઘાટનની તક આપવામાં આવતી નથી. કોઈ જનરલ બોર્ડ બોલાવ્યા વગર કુલડીમાં ગોળ ભાંગવા સમાન હોદેદારો કે જેઓ આ ત્રણેયના સગાઓ થાય છે તેઓ પોતાની રીતે બંધારણની વિરૂધ્ધ મનઘડત નિર્ણયો લઈ જ્ઞાતીના દાતાઓની મોટા અનુદાનની ઓફર કરવા છતા ઉઘાટન સમારોહનો લાભ આપતા નથી.

આવા સંજોગોમાં તેઓની લેખીત મોટી રકમના અનુદાનની રજુઆતને પ્રમુખ અને મંત્રીએ અવગણતા ગુજરાત મચ્છુ કઠીયા કડીયા જ્ઞાનીના ખુબજ રોષ અને વિરોધનું વાતાવરણ ઉત્પન્ન થતા એક જ્ઞાતીના સભ્ય તરીકે ન્યાય મેળવવા અને બંધારણના જનરલ બોર્ડમાં નિર્ણયો લેવડાવવા તથા સન્માન સમારોહ અટકાવવા રાજકોટની દીવાની અદાલતમાં દીવાની દાવો દાખલ કરી મનાઈ હુકમની માંગણી કરી છે. અને  કોર્ટ નોટીસ કારણ દર્શક નોટીસ કાઢી હોદેદારોને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરેલ છે.આ કેસમાં વિમલ ચાવડા વતી રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા અને પરેશ મારૂ રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.