Abtak Media Google News

તબીબોએ રેલી કાઢી અધિક્ષકને આવેદન પત્ર આપ્યું: જીવન જોખમે જીવ બચાવનાર તબીબો કાલે રામધૂન ગાઈ કરશે વિરોધ

સરકારી તબીબ ક્ષેત્રે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા  છે. ત્યારે રાજ્યભરના તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ મેડિકલ કોલેજના 180 તબીબી શિક્ષકોએ આજ રોજ પીડીયુ મેડિકલ કોલેજના પોર્ચથી રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન પત્ર પાઠવ્યું હતું.અને હમારી માંગે પુરી કરોના નારા લાગવ્યા હતા.

તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પડી છે.જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150  સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી હતી.રાજકોટ સિવિલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.જેમાં તેમના દ્વારા આજ રોજ પીડીયું કોલેજ પોર્ચ થી રેલી કાઢી તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.બાદ આવતીકાલે  કોવિડ બિલ્ડીંગ પાસે બેસી રામધુન ગઈ અને શનિવારે મહા રેલી કરી કલેક્ટરને આવેદન પત્ર આપી વિરિદ્ધ પ્રદશન કરશે.તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કટુ કે સરકારે તેમને આપેલા લાભો પરત ખેંચી લેતા અંતે હડતાલનો રસ્તો અપનાવો પડ્યો છે. અને જો નિર્ણય વહેલી તકે લેવામાં નહિ આવે તો હડતાલ વધુ ઉગ્ર બનશે તેવું જણાવ્યું હતું.

તબીબોની મુખ્ય માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.