શહેરના ૨૫-જાગનાથ પ્લોટ ખાતે પાયોનીયર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તથા દર્દીઓને સસ્તાદરે સારવાર મળી શકે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલની શ‚આત કરવામાં આવી છે.આ હોસ્પિટલની શરૂઆત રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તથા આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તાદરે ન્યુરો સર્જરી થઈ શકે તે ઉદ્દેશ્યથી શ‚આત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આધુનિક યંત્રો તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે.આ હોસ્પિટલની ખાસિયતો વિશે જણાવતા પાયોનિયર હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેકટર તથા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આ હોસ્પિટલ મધ્યમવર્ગના લોકો માટે છે તથા એક અત્યંત આધુનિક કેન્દ્ર છે. જેમાં ૧૭ બેડની સુવિધા છે તથા ફેસિલિટીઝ ધરાવતું આઈ.સી.યુ.ની સુવિધા પણ રાખવામાં આવી છે.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર