Abtak Media Google News

આપણે રોજ બરોજના જીવનમાં ચમત્કાર વિશે તો સાંભળતા j હોય છી. ઈશ્વરના ચમત્કાર વિશે ઘણા લોકોને શ્રદ્ધા હોય છે ત્યારે ગઢડામાં વધુ એક ચમત્કારની ઘટના સામે આવી છે. જ્યાં ભગવાનની મૂર્તિમાંથી પરસેવો પડવાનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ગઢડાના ગોપીનાથજી મંદિરની છે જ્યાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના ગઈ કાલ રાત્રિ એટલે કે ૧૪ મેની છે. જ્યારે વહેલી સવારમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારે ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર પરસેવો જોવા મળતા કુતુહલ સર્જાયું હતું.

ગોપીનાથજી મહારાજની મૂર્તિઓ સાથે અહી વધુ બે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં બે AC હોવા છતાં માત્ર ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિ પર પરસેવો વળતા કુતુહલ સર્જાયું છે.

હરિભક્તો દ્રારા કળયુગમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો પરચો પૂર્યાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.