Abtak Media Google News

હે કાળીયા ડાકર ગુજરાતની સુખ,શાંતી સમૂધ્ધીના કરજો વધારો

મોજપ સ્થિત મરીન કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી: કાલે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરશે

ગુજરાતના રાજકારણમાં આજે જબરી ચહલ પહલ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત પર છે સવારે અમિત શાહે દ્વારકામાં જગત મંદિરમાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકવ્યું હતું. આવતીકાલે પણ ગૃહ મંત્રી ગુજરાતમાં છે.

Image3

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઇ શાહનું શુક્રવારે રાત્રે માદરે વતન ગુજરાતમાં આગમન થયુ હતું. આજે સવારે 11 કલાકે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકા હેલીપેડ ખાતે તેઓનું ઉતરાણ કરી સીઘ્ધા જ જગત મંદિરે દ્વારકાધીશના દર્શનાર્થે પહોચી ગયા હતા. જયાં તેઓએ ભગવાનની પાદુકાનું પુજન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ મોજપ  સ્થિત કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃઘ્ધી’ સંમેલન યોજાવાનું છે. કેન્દ્રીય સહકાર મંત્રી હોવાના નાતે અમિતભાઇ શાહ આ સંમેલનમાં પણ હાજરી આપશે.

આવતીકાલે પણ ગૃહમંત્રી ગુજરાતમાં છે રવિવારે તેઓના હસ્તે સવારે રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના બિન રહેણાંક આવાસ, રહેણાંક આવાસ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે તેઓના હસ્તે સાવરકુંડલા તાલુકાના વંડામાં બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશનના વડા ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત આવતીકાલે રાજયમાં નિર્માણ પામેલા જુદા જુદા પોલીસ ભવન, એસ.પી. કચેરી, પોલીસ લાઇનનું નડીયાદથી એક સાથે ઇ-લોકાર્પણ કરશે. જેમાં રાજકોટ અને સાવરકુંડલાના વંડા ઉપરાંત લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવાડ, જામજોધપુર, પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.