Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં માટી બચાવો અભિયાનને વેગ આપવા માટે સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વનો પ્રવાસ ખેડ્યો હતો અને અંતે તેઓ જામનગર ની ધરતી પર આવી પહોંચ્યા હતા.

Advertisement

એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે એવો જામનગર થી રાજકોટ તેમના બાઈક મારફતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ગાર્ડન ડિનર ક્લબ જામનગર રોડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓને રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આવકારવામાં આવ્યા હતા.

સદગુરુ જગ્ગી વાસુદેવ ને નિહાળવા રાજકોટ ની જનતા વિશેષ ઉપસ્થિત રહી હતી. ઢોલ નગારા ની સાથો સાથ રજવાડી ઠાઠથી સદગુરુ જગ્ગી વાસુદેવ હર્ષોલ્લાસ સાથે આવકાર્યા હતા. તેમનું માનવું છે કે આવનારા સમયમાં આજની યુવાપેઢી ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને માટી અભિયાનને બચાવવા માટે કારગત નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.