Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારના રોજ અમદાવાદ પહોંચ્યા છે અને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું છે. અમિત શાહ ત્રણ દિવસ માટે અમદાવાદમાં છે. આ દરમિયાન તે ૧૫૦ સીટનો ટાર્ગેટ પૂરો કરવા માટેની વ્યુહરચના પર કામ કરશે. પાર્ટીને વિશ્વાસ છે કે અમિત શાહની આગેવાનીમાં ભાજપ વિજય મેળવશે.

અમદાવાદ પહોંચીને તરત જ અમિત શાહે ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે કમલમ ખાતે મીટિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિસ્તારક યોજનાના ભાગરુપે અમિત શાહ ૧૧૦ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારની મુલાકાત પણ તેનો જ એક ભાગ છે. અમિત શાહને મળવા માટે પાર્ટીના નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા. તેમણે પોતે કરેલા કામનું પ્રેસન્ટેશન તૈયાર કર્યુ હતું અને કઈ રીતે મહત્ત્।મ વોટ્સ મેળવી શકાય તે અંગેના સલાહસુચનો પણ આપ્યા હતા.

અમિત શાહ પાર્ટીના અવરોધો અને મુશ્કેલીઓ વિષે જાણશે અને સૌથી પહેલા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પાટીદાર સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી વર્તમાનના ૫૦ ટકા ધારાસભ્યોના બદલે યુવા પાટીદાર ચહેરાઓને તક આપશે.શંકરસિંહ વાઘેલાનું સમર્થન ધરાવતો જન વિકલ્પ મોરચો પણ ૧૮૨ સીટ્સ પર કેન્ડિડેટ્સ ઉભા કરે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં નથી જોડાયા પરંતુ તેમના કારણે કોંગ્રેસનું ગણિત બગડવાની પુરી શકયતા છે. જન વિકલ્પ મોરચાને કારણે કોંગ્રેસ અને ભાજપ બન્નેને નુકસાન પહોંચી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.