Abtak Media Google News

આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર આવી રહ્યો છે અને સાથે સાથે ઈદ નો તહેવાર પણ નજીક આવતો હોય જેથી મોરબીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરની રથયાત્રાનું આયોજન દર વર્ષે થાય છે જેમાં હજારો લોકો જોડાય છે અને સાથે ઈદ નો તહેવાર પણ આવતો હોય જેથી આ બન્ને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને સૌહાર્દ ભર્યો માહોલ જળવાઈ રહે તે હેતુથી હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવીને મોરબી તાલુકા પોલીસ મથક, હળવદ પોલીસ મથક અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બન્ને સમાજનાં આગેવાનોએ બન્ને તહેવારોને ભાઈચારાથી ઉજવી અને કોઈપણ પ્રકારનો માહોલ ન બગડે તેની તકેદારી સાથે ઉજવવા માટે સહમતી સાથે આ બેઠક યોજાઇ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.