Abtak Media Google News

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  SGVP ગુરુકુલ હોસ્ટેલમાં નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો.નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની હસ્તે પૂજા બોક્સ સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ.ત્યારબાદ સ્વામીજીએ બાળકોને પ્રેરણાત્મક વાતો કરી હતી.કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીની માર્ગદર્શન સાથે હોસ્ટેલ મુખ્ય રેક્ટર જાલમસિંહજી, ઘનશ્યામભાઇ સુવા, કલ્પેશભાઇ પટેલ અને પ્રેરકભાઇ પટેલે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.