૨જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે રાજકોટ ચિત્રનગરી દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે અલગ અલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નટુકાકા ફેમ ઘનશ્યામ નાયક તથા બાધા ફેમ તનમય વેકરીયા રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા.વધુમાં વાત કરતા નટુકાકાએ જણાવ્યું હતુ કે, રાજકોટ રંગીલુ શહેર છે. અને ચિત્રનગરી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તે ખૂબ કાબીલે તારીફ છે. સાથે સાથે દિવસે આપણે સૌ સાથે મળીને ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નો સાકાર કરીએ તેવી મારી આશા છે.બાધો (તનમય વેકરીયા)એ જણાવ્યું હતુ કે હું રાજકોટથી ઘણો માહિતગાર છું, મારા ધર્મપત્ની રાજકોટના છે, રાજકોટનુ નામ આજે ઘણુ આગળ આવી રહ્યું છે. અને હું રાજકોટ આવીને ખૂબ ખુશીની લાગણી અનુભવું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત