Abtak Media Google News

ગુજરાતભરની ચુંવાળીયા કોળી સમાજ દ્વારા 14 ઓગષ્ટે યોજાનારા મહોત્સવમાં હજ્જારોની મેદની ઉમટશે. ‘અબતક’ની મુલાકાતે આવેલા શહેર પ્રભારી સુભાષભાઇ અઘોળા, હિતેષભાઇ ધોળકીયા, દેવાંગભાઇ કુકાળાએ સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયા દ્વારા દિવ્ય ધ્વજારોહણનો ભવ્ય કાર્યક્રમ તા.14/08/2022ને રવિવારના રોજ સવારે 7:00 કલાકે ગોંડલ રોડ ભરૂડી ટોલ પ્લાઝાથી આગળ શિવાય વે બ્રિજથી જૂનાગઢ ભવનાથ તળેટી વેલનાથધામ ખાતે દિવ્ય અને ભવ્ય દિવ્ય ધ્વજારોહણ યાત્રાનું આયોજન.

Advertisement

સમગ્ર ગુજરાત પંથકમાંથી ચુંવાળીયા કોળી સમાજ તેમજ ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ટુવ્હિલ તથા ફોર વ્હિલ લઇ વિશાળ કાફલા સાથે વેલનાથમય વાતાવરણમાં શરૂઆત થશે અને ધ્વજાનું રૂટમાં આવતા દરેક ગામમાં ભવ્ય સ્વાગત થશે તેમજ જૂનાગઢ ખાતે ડિેજે અને ઢોલ નગારા સાથે ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવશે.

આ ભવ્ય ધ્વજારોહણ પ્રસંગે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દરેક જીલ્લાના, તાલુકાના શહેરના ધર્મપ્રેમી વિશાળ સંખ્યામાં પધારવાના છે. આ ભવ્ય ધ્વજારોહણ પ્રસંગને લઇને છેલ્લા એક મહિનાથી ગુજરાત ચુંવાળીયા કોળી સમાજની સમગ્ર સંગઠન ટીમ ખુબ મહેનત કરી રહ્યું છે. દિવ્ય ધ્વજારોહણ પ્રસંગ પૂર્ણ થયે ભવનાથ તળેટી શ્રી ભારતી આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે.

તો આ દિવ્ય ધ્વજારોહણ કાર્યક્રમમાં પધારવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે. તેવું અખબારી યાદીમાં ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ પ્રદેશ કાર્યાલય મંત્રી દ્વારા અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.