Abtak Media Google News

મિત્રની માતા માટે જમવાનુ લેવા ગયેલા યુવાનને કાળ ભેટ્યો: પરિવારમાં ગમગીની

અબતક રાજકોટ

જસદણ તાલુકાના કમળાપુર ગામ નજીક અજાણ્યા કાર ચાલકે ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ હડફેટે લેતા બે મિત્ર ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એક મિત્રનું લાંબી સારવાર બાદ મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દહિસરા ગામે રહેતા ભરતભાઈ જગાભાઈ સાકરીયા નામના 30 વર્ષીય યુવાન અને તેના મિત્ર મુકેશભાઈ જીવાભાઈ પરમારની માતા માટે બંને જમવાનુ લેવા જતા હતા. તે દરમિયાન કમળાપુર પાસે કોઈ અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકર મારતાં બંને મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ભરતભાઈ સાકરીયાને ગંભીર ઇજા હોવાના કારણે વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતા ભરતભાઈ સાકરીયાનું મોત નિપજ્યું હતું. યુવાનના આકસ્મિક મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.