Abtak Media Google News

કેદારનાથ ધામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં બે પાયલોટ સહીદ સાત લોકોના મોતની નીપજયા નું બહાર આવ્યું છે. જેમાં ત્રણ યુવતીઓ ભાવનગર ની હોવાનું જાણવા મળતા રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચિંતિત થઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ   મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બચાવ અને  જરૂરી તમામ વ્યવસ્થા કરવાની માંગ કરી રજૂઆત કરી છે.

Advertisement

ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથધામ નજીક આવેલા ગરૂડચટ્ટી પાસે હેલીકોપ્ટર ક્રેશ થયાની દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓ, બે પાયલોટ સહિત સાત લોકોના મોત નિપજ્યાની ઘટનાની જાણ ભાવનગરના અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી આ અંગે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ત્વરિત રજૂઆત કરી સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તાજેતરમાં જ હરદ્વાર ખાતે ભાવનગરના પરિવારે ભાગવત્નું આયોજન કર્યું હતું. તે શ્રદ્વાળુઓ હોવાનું મનાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.