Abtak Media Google News

ઋષિ મેહતા, મોરબી

મોરબી માળીયા હાઇવે ફરીથી રક્ત રંજીત બન્યો છે જેમાં આજે સવારે છ વાગ્યા આસપાસ માળીયા મીયાણા ના હરિપર ગામ નજીક મીનિટ્રક વાહન અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામનો ગોંડલીયા પરિવાર મીની ટ્રક નં.GJ 14 W 5516 વાળું લઈને કચ્છ ના ભચાઉ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન માળીયા(મી)ના હરિપર ગામ પાસે ખાનગી લકઝરી બસ નં.AR 01 8298 સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં આ ગમખ્વાર અકસ્માતમાં મીની ટ્રક માં સવાર આઠ જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

જ્યારે બે મહિલાઓના મોત નિપજ્યા હતા જેમાં છોટાહાથીમાં સવાર બે મહિલા ચંદાબેન વિપુલભાઈ (ઉ.વ.૩૦)અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (ઉ.વ.૭૦,બન્ને રહે. પીઠડીયા તા.જેતપુરવાળા) નુ મોત નીપજ્યું છે.જ્યારે પ્રકાશભાઈ (ઉ.વ.૪૮), જેવીલ વિપુલભાઈ(ઉ. વ.૦૩), ધીરુભાઈ ગોંડલીયા( ઉ.વ.૫૦), માહિબેન વિપુલભાઈ ( ઉ.વ.૦૬), મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા (ઉ.વ.૦૯), દીપકભાઈ (ઉ.વ.૪૧), વિપુલભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૬) અને નાથીબેન દેવરાજભાઈ પોકીયા (ઉ.વ.૭૦)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

હાલ માળીયા(મી)પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ને અક્સ્માત ગ્રસ્ત વાહનોને દૂર ખસેડી વધુ તપાસ હાથ ધરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.