Abtak Media Google News

બે ટ્રેન રદ કરાય જયારે ટ્રેન આંંશિક રીતે રદ રહેશે:ત્રણ ટ્રેન મોડી ઉપડશે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે આજથી 16 જાન્યુઆરી, સુધી રેલ ટ્રાફિકને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફના જણાવ્યાનુંસાર  વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ કાલથી 1પમી  સુધી,   જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.6 થી 1પ જાન્યુઆરી સુધી રદ કરાય છે.

જયારે ભાવનગર-ઓખા એક્સપ્રેસને આજથી 14મી  સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઓખા-ભાવનગર એક્સપ્રેસને તા.પ થી 1પમી સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે.

મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને આજથી 14મી  સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને કાલથી 1પમી સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને  કાલથી 1પમી સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને કાલથી 1પમી સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ને કાલે શનિવારે, 9મીએ, 1રમીએ અને 14મીએ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે.

આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને  6, 8, 10, 13 અને 1પ જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે.

ઓખાથી કાલે અને 1રમીએના રોજ ઉપડનારી  ઓખા-વારાણસી એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવશે. આ બંને દિવસે આ ટ્રેન ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે.આજથી 16મી સુધી  મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને  હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.  મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www. enquiry. indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.