Abtak Media Google News

સોમનાથમાં મહાદેવ મંદિર એ કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર છે ત્યારે આજ રોજ ગદ્દર ૨ ફિલ્મના ડાયરેક્ટર અનીલ શર્મા પોતાના પરીવાર સાથે સોમનાથ મંદીરે દશઁન કરવા પહોંચ્યા હતા અને પૂજા, અચઁના કરીને ધન્યતા અનુભવી હતી. મીડીયા સાથેની વાતચીત મા જણાવેલ કે ગદદર ફિલ્મ પૂણઁ થઈ અને તેની ભારે સફળતા બાદ ગદદ-2 ફિલ્મ પણ બની ચુકી છે તેનુ શુટીંગ લખનઉ મા પૂણઁ થઈ ચુક્યુ છે ચાર -પાંચ મહીનામા આ ફિલ્મ રીલીઝ થશે .

ગદર 2

આ ફિલ્મમા સન્નીદેયોલ અને અમીષા પટેલના પુત્ર જીતે (ઉત્કષઁ શમાઁ ) જે ડાયરેક્ટર અનીલ શર્માનો જ પુત્ર છે તે ગદ્દર 2માં ફિલ્મના મુખ્ય હીરો તરીકે જોવા મળશે અને હીરોઈન તરીકે સીમરત કૌર જોવા મળશે. આ ફિલ્મ ગદ્દર ૧ કરતા પણ ખૂબ જ રોમાંચક છે જેમા દેશપ્રેમ ,પ્રેમકહાની ,કોમ્યુનીટી સહીતનો સમાવેશ કરવામા આવ્યો છે.

અનીલ શર્માએ ગદ્દર ફિલ્મ ઉપરાંત હકુમત ,વીર ,ફરીસ્તે, મહારાજા, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો  સહીતની ફિલ્મો બનાવી છે જેમા અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, ગોવીંદા, સન્ની દેઓલ ,સલમાન ખાન સહીત સાથે કામ કરેલ છે. આ વખતે ગદ્દર 2 ફિલ્મમા વેરાવળના હોટલ ઉધોગ સાથે સંકળાયેલા આશીફ બાપુ કાદરી પણ આ ફિલ્મમા એક વિલનના રોલમા જોવા મળશે.

૨૦૦૧માં  રિલીઝ થયેલી ગદ્દર એક પ્રેમકથા સન્ની દેઓલની કારકિર્દીની સૌથી સુપરહિટ ફિલ્મોમાંની એક ગણાય છે. તે વર્ષે ગદ્દર અને આમિર ખાનની લગાન સાથે સાથે આવી હતી પણ ગદ્દર ટિકિટબારી પર વધારે સફળ થઈ હતી. હવે ગદ્દરનો બીજો ભાગ  આગામી ઓગસ્ટમાં રજૂ કરવાનું પ્લાનિગં ચાલી રહ્યું છે. જોકે, મૂળ ગદ્દર ફિલ્મ ૨૨ વર્ષ પહેલાં આવી હતી. ત્યારે દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.