Abtak Media Google News

ટ્રાફિક બ્રિગેડને હવાલો સોંપાતા બબ્બે કલાક ટ્રાફિકમાં પીસાતી પ્રજા: તાકીદે ટ્રાફિક સમસ્યા દૂર કરવા શહેર કોંગ્રેસની માંગણી

રાજકોટમાં ખરડાયેલી ટ્રફિક પોલીસને લીધે શહેરની ટ્રફિક સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી છે ઓછામાં પૂરું જેને ખોબલે ખોબલે મત આપ્યા તે ભરોસાની ભાજપ સરકારે પણ ચૂંટણીમાં ખાલી થઇ ગયેલી તિજોરી ભરવા રાજયભરની ટ્રાફિક પોલીસને પેન્ડિગ મેમો ભરપાઈ કરાવવા સૂચના આપી  દીધી છે તો બીજી તરફ માત્ર ટ્રાફિક બ્રિગેડને હવાલો સોંપી દેતા સતત ટ્રફિકજામનો સામનો કરતી પીસાતી અને પીડતી પ્રજામાં પણ સરકારની આ પ્રજા વિરોધી નીતિ સામે રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે રાજકેટમાં દંડ નહીં ભરનાર લોકોના વાહનો કબ્જે કરવાની ચીમકી આપનાર ટ્રફિક ડીસીપી સામે કેંગ્રેસ ના જશવંતસિંહ ભટ્ટી , ગોપાલભાઈ અનડકટ , ડી.પી.મકવાણા, રણજીત મુંધવાએ આકરા પ્રહારો કરી વિરોધ નોંધાવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી , ગોપાલભાઈ અનડકટ , ડી.પી.મકવાણા , રણજીત મુંધવાની એક યાદીમાં જણાવાયું છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે લોકો આ કથડીને ખાડે ગયેલી ટ્રાફિક મગીરીથી ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે

એક તરફ ટ્રાફિક સમસ્યા હળવી કરવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ દરરોજ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને પેટ્રોેલ તથા સમયનો વ્યય થતો હોય જેથી પીડાતી અને પીસાતી પ્રજામાં આવા બેકાર વહીવટ સામે ભયંકર રોષ ભભુકી ઉઠ્યો છે સરકારે ચૂંટણી ટાણે બંધ કરેલા ઈ મેમોના બાકી ઉઘરાણા  કરી તિજોરી ભરવા આદેશ આપ્યા છે . જે લોકોના એક કે ત્રણથી વધુ મેમો બાકી હોય અને દંડ ન ભરતા હોય તેવા લોકોના વાહનો જપ્ત કરવા રાજકોટના ટ્રાફિક ડીસીપીએ હુકમ કર્યો છે.

ડીસીપીના આ પ્રજા વિરોધી આદેશ સામે જશવંતસિંહ ભટ્ટી , ગોપાલભાઈ અનડકટ , ડી.પી.મકવાણા , રણજીત મુંધવાએ વધુમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેરોનાકાળમાં લોકોએ પોતાના મા – બાપ ,  દીકરા , દીકરી કે અમુક પરિવારોએ ઘરના મોભીને ગુમાવ્યા છે અમુક ઘરમાં કમાનાર કોઈ રહ્યું નથી આવી પરિસ્થિતિમાં લોકોને સાંત્વના આપવાને બદલે પોલીસ દ્વારા થતી બાર્ક પેન્ડિગ મેમોની ઉઘરાણી દાઝજયા પર ડામ સમાન છે ટ્રાફિક પોલીસ બાકી મેમો ઉઘરાવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તે પહેલા યોગ્ય સુવિધા આપે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.