Abtak Media Google News

જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા એક કોલેજીયન યુવાને અભ્યાસના ટેન્શનના કારણે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે અંગે ભારે ચકચાર જાગી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીલસ ગામમાં રહેતા અને જામનગરની એક કોલેજમાં અભ્યાસ કરતા દિનેશ વિનોદભાઈ નકુમ નામના 18 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમા દોરડું બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદભાઈ નકુમે પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ રાઠોડએ જી.જી. હોસ્પિટલે દોડી જઈ કોલેજીયન યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જ્યારે પોલીસની પૂછપરછમાં પોતાને કોલેજના અભ્યાસનું ટેન્શન હોવાના કારણે આ પગલું ભરી લીધા નું જણાવાયું છે. જામનગરની એમપી શાહ કોમર્સ કોલેજમાં પોતે સેમેસ્ટર ની પરીક્ષા આપી હતી જેનું પેપર નબળું જતાં મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ તેણે આપઘાતી પગલું ભરી લીધું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.