Abtak Media Google News

જૂની અદાવતને કારણે કરેલા ખૂની હુમલાના ગુનામાં દેવાયત ખવડનો જેલવાસ લંબાયો

જૂની અદાવત ના કારણે ગરાસીયા યુવાન પર ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાગરીતોની જામીન ઉપર છૂટવાની અરજી અદાલતે વધુ એક વખત ના મંજૂર કરતા ત્રણેય નો જેલવાસ લંબાયો છે.

Advertisement

શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન  પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી

તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. હાલ જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે ચાર્જશીટ બાદ જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ અને મૂળ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.