Abtak Media Google News

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7% ઉપરના વ્યાજની સબસીડી મળવાપાત્ર

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ 2,00,000/-ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીય કૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકરભવન ગઞકખ-ઈઊકક રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર,પ્રથમમાળ ખાતે સંપર્ક કરવો.

જરૂરી પ્રમાણપત્રો

  • પાસપોર્ટ ફોટોગ્રાફ -2
  • ચુંટણીકાર્ડ
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • મકાન વેરાબિલ
  • લાઈટબિલ
  • સ્કુલલીવીંગ/ જન્મનો દાખલો
  • ડ્રાઈવિંગ લાયસન્સ (વાહનલોન માટે)
  • ભાડે રહેતા હોયતો ભાડા ચિઠ્ઠી /સહમતી પત્રક
  • ક્વોટેશન ઓરિજિનલ
  • બેંકની પાસબુકની નકલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.