Abtak Media Google News

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7% ઉપરના વ્યાજની સબસીડી મળશે

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના  ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2 લાખની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7 ટકાથી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7 ટકાથી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષથી 7 વર્ષ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.