Abtak Media Google News

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં DRG ટીમ પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 10 જવાનો શહીદ થયા છે. 6-7 જવાન ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે.

નક્સલવાદીઓની હાજરીની બાતમી મળતાં જવાનો શોધખોળ માટે નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જવાનોના વાહનને પણ ટક્કર મારી હતી. જેમાં 10 જવાનો શહીદ થયા હતા. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ નક્સલી હુમલાને લઈને મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

 

માઓવાદી કેડરની હાજરીની માહિતી પર દંતેવાડાથી ડીઆરજી જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. આ પછી તમામ જવાનો ત્યાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરનપુર રોડ પર પલનારમાં નક્સલવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો અને બ્લાસ્ટ કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે જવાનો ખાનગી વાહનમાં રવાના થયા હતા. આ હુમલામાં એક નાગરિકનું પણ મોત થયું છે. હુમલા બાદ જવાનો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.