Abtak Media Google News

બાવળામાં શક્તિ પ્રદર્શન: મહાસંમેલનમાં રાજયભરની મેદની: આગેવાનોએ વ્યકત કર્યો એક સૂર

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે કારડીયા રાજપૂત સમાજ રોષે ભરાયો છે. આશરે ૨૫ કરોડ રૂપિયાની ગૌચરના મૂલ્યની જમીન પચાવી પાડવા માટે સરપંચ પર દબાણ લાવવાનો આક્ષેપ કરીને રાજપૂત સમાજે વાઘાણીના રાજીનામાની માગણી કરી હતી.

Advertisement

રવિવારે બાવળા તાલુકાના ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે ગુજરાતનું સમસ્ત કારડીયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતુ.રાજયમાં વિવિધ સ્થળે વાઘાણી વિ‚ધ્ધ રેલીઓ યોજીને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

સમાધાન નહી થતા બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે આવેલા મોગલધામ ખાતે અમદાવાદ જિલ્લા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજનું સંમેલન યોજીને બળ પ્રદર્શન કર્યું હતુ. મહાસંમેલનમાં રાજયભરનાં કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક સૂરે કહ્યું હતુ કે જીતુ વાઘાણી રાજીનામું નહી આપે તો ભાજપના વિ‚ધ્ધનું મતદાન થશે. આ મામલો બુધેલ ગામની સીમમાં આવેલી ગૌચરની કરોડો ‚પિયાની જમીનનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.