Abtak Media Google News

પેટમાં બેક્ટેરીયા થવાથી ખૂબ જ પિડા થાય છે. જેની તકલિફ નાના બાળકોને વધુ થતી હોય છે. તો અમુક પ્રોટાઓને પણ કૃમિઓ થતી હોય છે આ કૃમિ ૨૦ પ્રકારની હોય છે. જેમાં પેટમાં બળતરા, આંતરડામાં ચાંદા પડવા, ગેસ થવો અને ક્યારેક તાવ પણ આવી જતો હોય છે. માટે આ સમસ્યાથી નિજાત મેળવવા માટે હોમ મેઇડ રિમેડી અસરકારક છે.

Sanchal
sanchal

 

૧- સંચળ : એક ચપટી સંચળ સાથે અડધો ગ્રામ શેકેલા અજમાનું ચૂર્ણ મિક્ષ કરી રોજ રાત્રે ગરમ પાણીની સાથે લેવાથી પેટમાં રહેલી કૃમિ ઝાડાના રૂપમાં નિકળી જશે.

 

 

 

Ajmo
ajmo

 

૨- અજમો : પેટામાં અને આંતરડાના બેક્ટેરિયાથી નિજાત મેળવવ ગોળ અને અડધો કપ અજમાનું ચૂર્ણ મેળવીને તેની ગોળી બનાવી દિવસમાં ૩ વખત સેવન કરવાથી રાહત થાય છે.

 

 

 

Dadam
dadam

 

૩- દાડમની છાલ : દાડમ ખાધા બાદ તેની છાલને ફેંકવાન બદલે તેનું ચૂર્ણ બનાવી દિવસમાં ૩ વખત ૧-૧ ચમચી લેવાથી કૃમિથી થોડા દિવસોમાં જ રાહત થશે.

 

 

Tameto
tameto

 

૪- ટામેટા : ટામેટામાં સિંધાલૂણ મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને લેવાથી મરી કૃમિને ઝાડાથી બહાર કાઢે છે.

 

 

 

Neem Leaves
Neem leaves

 

૫- લીમડાના પાન : લીમડાના પાનને પીસીને તેના જ્યુસને મધ સાથે મિક્સ કરીને સવારે લેવાથી તમામ કૃમિની સમસ્યાઓનો અંત થશે.

 

 

Garlic
garlic

 

૬- લસણ : પેટની સમસ્યા દૂર કરવાની સાથે આંતરડાને એકદમ સાફ કરવા માટે ખોરાકમાં લસણની ચટણીને ઉપયોગ કરવો.

 

 

 

Tulsi
tulsi

 

૭- તુલસી : રોજ સવારે તુલસીના ૫ પાન ગળવાથી પેટમાં કૃમિની સમસ્યા થતી નથી. આ ઉપરાંત ગેસ, કબજીયાત પણ થતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.