Abtak Media Google News

મિતુલ દોંગા તથા સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: નામાંકિત તબીબો સેવા આપશે

મુદ્રા ફાઉન્ડેશનની (મિતુલ દોંગા) સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિના ભાગ‚પે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનોના લાભાર્થે મુદ્રા ફાઉન્ડેશન (મિતુલ દોંગા) તથા સાંઈ સેના ગ્રુપના સંજયભાઈ સાવલીયા સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પનું આયોજન તા.૨૯ માર્ચ બુધવારના રોજ સવારના ૯ થી બપોરના ૨ સુધી માધવ હોલ, સૂર્યોદય સોસાયટી, ગોવિંદનગરની પાછળ ૮૦ ફૂટ રોડ, કોઠારીયા મેઈનરોડ, રાજકોટ ખાતે કરવામા આવશે

જેમાં નિષ્ણાંત ડોકટરોની ટીમ હાજર રહેશે. આ કેમ્પમાં કમરનો દુખાવો સાંધાનો દુખાવો, વા વગેરે મો ડો. કૃણાલ મિસ્ત્રી નિદાન કરી આપશે. ગેસ, એસીડીટી, ડાબીટીસ, બ્લડ પ્રેસર જેવા દર્દના નિદાન માટે ડો. નિલમ પબાણી નિદાન કરી આપશે. દાંતને લગતી કેઈ પણ સમસ્યાના નિદાન મો ડો. નેહા શાહ હાજર રહેશે પેટના રોગ, સારણગાંઠ જેવા વિગેરે દર્દોનાં નિદાન મો ડો.નિલેશ નિમાવત હાજર રહેશે સ્ત્રી રોગને લગતા દર્દોના નિદાન માટે ડો. વસુલધાબેન જોષી હાજર રહેશે.

બાળકોને લગતા રોગોના નિદાન માટે ડો.સાવન દેત્રોજા હાજર રહેશે તથા આ કેમ્પનું સંકલન વિપુલભાઈ પટેલ તથા રાકેશભાઈ પેલ કરી રહ્યા છે.આ તકે કોંગ્રેસ અગ્રણી મિતુલ દોગા અને સંઈ સેના ગ્રુપના પ્રમુખ સંજય સાવલીયા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

આ નિદાન કેમ્પમાં રાજકોટ ૬૮ના ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજગુ‚ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મિતુલ દોગા તથા વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા, સુરેશભાઈ ગોરૈયા, હા‚નભાઈ ડંકોરા, બીપીનભાઈ દવે તેમજ શિવુભા જાડેજા ઈકબાલભાઈ લીંગડીયા, લાલભાઈ હુંબલ, રહીમભાઈ સોરા, મનોજભાઈ ગઢવી, રાજુભાઈ આમરણીયા, ઈબ્રાહીમભાઈ સોરા, હાજીભાઈ ઓડીયા, પાંચાભાઈ હપાણી, ભીખાભાઈ ગજેરા, દાસભાઈ કાછડીયા, મનુભાઈ સોનારા, લક્ષ્મણભાઈ જમોડ, ગોરધનભાઈ કુકડીયા, મનુભાઈ ધીણોજા, તથશ સાંઈ સેના ગ્રુપના પ્રમુખ સંજયભાઈ સાવલીયા તથા તેમની ટીમ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.