Abtak Media Google News

દ્વારકામાં શંકરાચાર્યજન્મજયંતિ ઉજવાય

હિન્દુ ધર્મનાં ભારતમાં ર દિશામાં ચાર મુખ્ય મઠોની સ્થાપના કરનાર આદિશંકરાચાર્યજીની જન્મજયંતિ દ્વારકા શારદામઠમાં ધામધૂમપૂર્વક શ્રી શારદામઠના શ્રી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજની આગેવાની હેઠળ ઉજવવામાં આવેલ. તેમાં સવારે શારદા મઠમાં દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજીની પૂજાવિધિ, ત્યારબાદ આદિ શંકરાચાર્યજી મહારાજના પાદુકા પૂજન, આરતી તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં શારદામઠના સંતગણ, દ્વારકાના વિવિધ સંસ્થશઓનાં સંતગણ, દ્વારકાધીશ મંદિરના પૂજારીગણ, પંડાસભાના આગેવાનો તેમજ શહેરનાંઆગેવાનોતેમજ પત્રકારગણ અને દ્વારકાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.