Abtak Media Google News

બિહારના મુઝફ્ફરપુરથી દિલ્હી આવી રહેલી બસ મોતિહારી નજીક NH-28 પર પલટી મારી ગઈ હતી અને 30 ફુટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જેના પરિણામે બસમાં આગ લાગતાં 27 લોકોનાં મોત નિપજ્યાં છે. આ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોતને ભેટેલાં મોટા ભાગના લોકો મુઝફ્ફરપુરના રહેવાસી છે.

બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને બસ મુઝફ્ફરપુરથી દિલ્હી જઈ રહી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ ઘણી જ સ્પીડમાં હતી, પરિણામે બસનો ડ્રાઈવર સંતુલન ગુમાવી બેસતાં બસ પલટી ગઈ હતી.બસ પલટી મારી જતાં તેમાં આગ લાગી ગઈ હતી અને 30 ફુટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.