Abtak Media Google News

બ્રોડગેઇજ લાઈન નખાયાને વર્ષો વીતી ગયા છતાં લાંબા અંતરની એક પણ ટ્રેન ન મળી

બ્રોડગેઇજ લાઇન નાખ્યા તેને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ મોરબીથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ત્યારે જાગૃત નાગરિકે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરીને મોરબીને લાંબા અંતરની ટ્રેન આપવાની માંગ ઉઠાવી છે.

Advertisement

શહેરના દુષ્યંતકુમાર કારીયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી હતી કે ૧૯૭૯ની જળ હોનારતની ઘટના બાદ મોરબી શહેરે દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. બ્રોડગેજ લાઇન નંખાયા ને વર્ષો થઈ ગયા છતાં હજી મોરબીને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળ્યો નથી.જે ખરેખર દુ:ખદ બાબત છે. મોરબીની બ્રોડગેઇજ લાઈન પર માલગાડીઓ દોડે છે .પરંતુ લાંબા અંતરની સીધી ટ્રેન દોડતી નથી

વધુમાં તેઓએ જણાવ્યું કે આજના ઝડપી યુગમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન સુવિધા મળતી થાય તે સમયની માંગ છે. તેથી રાજધાની દિલ્હી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ વાયા વાકાનેર-મોરબી-રાજકોટ સુધી લંબાવવા તથા અન્ય લાંબા અંતરની ટ્રેન સુવિધા આપવામાં આવે તેવી માંગ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.