Abtak Media Google News

નવ નિર્મિત વિશ્ર્વકર્મા પ્રભુજીનાં મંદિરે ધ્વજારોહણ, ધુન-ભજન આરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

પડધરીના મોવૈયા ગામે નવનિર્મિત વિશ્ર્વકર્મા પ્રભુજી ખાતે આજે વિશ્ર્વકર્મા જન્મ જંતિની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ કડેચા, ઉપપ્રમુખ કિશોરભાઈ બકરાણીયા, મંત્રી કિરીટભાઈ ધ્રાંગધરીયા, ખજાનચી નિલેશભાઈ ધ્રાંગધરીયા તેમજ સભ્યો રતીલાલભાઈ સખીયાણીયા, મહેન્દ્રભાઈ ભાલારા, વિનોદભાઈ ધોરેચા, મનસુખભાઈ ભાલારા, સુભાષભાઈ પંચાસરા, સુરેશભાઈ વડગામા અને રવિભાઈ ધ્રાંગધરીયા સહિત મોટી સંખ્યામાં જ્ઞાતીજનો ઉપસ્થિત રહ્યા હતા. આરતી દર્શન ધ્વજા રોહણ, ધુન, ભજન, સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌએ પ્રસાદનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.