Abtak Media Google News

ત્રિદિવસીય પ્રદર્શનનું આજે સમાપન: સેલમાં પ૦ થી વધુ સ્ટોલ: ગ્રુપની બહેનોને પોતાના વ્યવસાય માટે પ્લેટફોર્મ  મળે તે મુખ્ય હેતુ

શહેરના આર્ટ ગેલેરી ખાતે જૈન સોશ્યલ મહીલા ગ્રુપ દ્વારા ત્રિવસીય એકઝીબીશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલમાં પ૦ થી ૫૫ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સાથે જ ગ્રુપની મહીલાઓ આગળ આવીને પોતાનો વ્યવસાય વધારે તે મુખ્ય હેતુ છે ઘણી મહીલાઓ ગૃહ ઉઘોગ કરે છે પણ તેમને પ્લેટફોર્મ નથી મળતું તેથી આ કાર્યક્રમના આયોજનથી મહીલાઓને તક મળે તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સાથે જ ઓછા ભાવે ને સારી વસ્તુ રાજકોટની જનતાને મળે તે માટે એકઝીબીશન યોજવામાં આવ્યું હતું.

Advertisement

અહીં તમામ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનનું ઉદધાટન અંજલીબેન ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ કમીશ્નર, મેયર સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.