Abtak Media Google News

સુરતમાં હ્રદય ને કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જયાં કાપોદ્રામાં રહેતી માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ આત્માહત્યા કરી હતી.માતા-પુત્રને સ્મિમેર લઇ જવાતાં જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનું મોત થયું હતું. માનસિક સંતુલન ગુમાવી દેતાં માતાએ પગલું ભર્યું હોવાની પરિવારે આશંકા વ્યકત કરી છે.

Advertisement

નાના વરાછા શિવધારા ખાતે રહેતા જીગ્નેશ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. જે દિવસે ઘટના બની તે દિવસે જીગ્નેશ ગજેરા પોતાના કારખાને ગયા હતા.ત્યારે બપોરે તેમની પત્ની ચેતના તેના એક વર્ષીય પુત્ર અંશને સાથે બહાર ગઈ હતી.કચરો નાખવાનું કહીને બહાર ગયા હતા.પાછા પરત ફર્યા ન હતાં. કારખાનેથી ઘરે આવેલા જીગ્નેશભાઈએ પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ કરી હતી.

મોડી રાત સુધી તેમની ખબર ન મળતા તેઓ પોલિસ સ્ટેસન પર ફરિયાદ નોધણી માટે ગયાં હતા. આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને જાણ થતા તેમણે બન્નેનો ફોટો જીગ્નેશભાઈને બતાવતા બન્નેની ઓળખ થઈ હતી.તાત્કાલિક ધોરણે માતા અને પુત્ર બંને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

બંનેની સારવાર દરમયાન મોત થયું. ચેતનાના પતિ અને મામાએ જણાવ્યું હતું કે ચેતના તામસી સ્વભાવના હતી. 3 વર્ષ અગાઉ તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ત્યાર બાદ તેમને કોઈ પારિવારિક સમસ્યા ન હતી. ચેતનાબેને માનિસક સંતુલન ગુમાવી પગલું ભર્યાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.