ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે રાજકોટના સર્વેશ્ર્વર ચોક ખાતે પ્રથમ વાર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ભગવાન ગણેશની ખુબ જ સુંદર મૂર્તિના દર્શન કરવા ભાવિકો ઉમટી પડયા હતા. તેમજ રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય ડાયરો, નાટક, ડી.જે.દાંડીયા જેવા મનોરંજનનું આયોજન કરવામાં આવશે. સર્વેશ્ર્વર ચોક ગ્રુપમાં આયોજક અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે, તેમણે પહેલીવાર ગણપતિ સ્થાપના સર્વેશ્ર્વર ચોક ખાતે કરી છે અને ખુબ જ મોટી મુર્તિ છે સાક્ષાત ગણપતિ બિરાજમાન હોય તેવો અહેસાસ કરાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૧૧ દિવસ સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે. જેવી રીતે મુંબઇમાં ‘લાલ બાગ કા રાજા’ છે એ રીતે ‘સર્વેશ્ર્વર ચોક કા રાજા’ પણ પ્રસિઘ્ધ થાય બને માટે તેમણે બધા મળીને તન મન ધન સાથે આ કાર્યક્રમમાં આયોજનમાં મહેનત કરી છે. તેમના ગણપતિની આરતીમાં વિશેષ તેમણે લાઈવ વાદન દ્વારા કર્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ