Abtak Media Google News
  • પીપરટોડા ગામના પાટીયા પાસે બે બાઈક ધડાકાભેર અથડાતા સર્જાયો ગોજારો અકસ્માત
  • આઘેડ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

જામનગર ન્યૂઝ : જામનગર-લાલપુર ધોરીમાર્ગ વધુ એક વખત રક્તરંજીત બન્યો હતો. પીપરટોડા ગામના પાટીયા પાસે આજે સવારે બે બાઈક ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોરખડી ગામના આઘેડ બાઈક ચાલકનું કામકટીભર્યું મોત થયાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જામનગર-લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે જીજે 10 સી.ક્યુ. 4433 બાઇક અન્ય એક બાઈક સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં બન્ને બાઈકના ચાલકો માર્ગ પર ફંગોળાયા હતા. આ દરમિયાન એક બાઈકના ચાલક જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના ભીમાભાઇ મેપાભાઇ ચાવડા (ઉ.વ58) ને હેમરેજ સહિતની ઇજા થઈ હતી.

આથી તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામેં આવ્યું છે. સમગ્ર બનાવની જાણ થતાં લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. કે. ચાવડા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.