Abtak Media Google News

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃત નવજાત શિશુનો કબ્જો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ચર્ચા થઇ રહી હતી કે, કોઇએ પોતાનું પાપ છૂપાવવા નવજાત શિશુને અહીં ફેકી ગયું હશે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ નવજાત શિશુ તાજું જન્મેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.