Abtak Media Google News
  • મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે…
  • આપણી પરંપરા અને સંસ્કૃતિમાં તેનું અગ્રીમ સ્થાન, પ્રાચીન મિસ્રમાં મમીની સજાવટ માટે મહેંદીનો ઉપયોગ પ્રથમવાર થયો: આયુર્વેદમાં થયેલા  ઉલ્લેખ મુજબ પ્રાચીન કાળમાં રચાયેલ અથર્વવેદમાં પણ તેનો ઉલ્લેખ: તે શરીરના હાથ, પગ, ચહેરાની કલા તરીકે ઓળખાય છે
  • શુભ પ્રસંગે મહેંદી રસમ આપણા પરિવારના શુભ પ્રસંગોમાં, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં
  • પણ જોવા મળે છે, બોલીવુડની ફિલ્મોમાં તેના ઘણા ગીતો જાણીતા થયા છે
  • મહેંદી શબ્દ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના શબ્દ ’મેંઘિકા’ ઉપરથી આવ્યો, તેનો ઉપયોગ કેન્સર અને એલોપેશિયા જેવા રોગથી પીડિત મહિલા તેના માથાની સજાવટ માટે પણ કરે છે
  • ટેટુની શોધ પણ મહેંદી ઉપરથી જ થઈ છે, મહેંદીનો રંગ ઉડી જાય છે પણ, ટેટુ જીવનભર રહેતું હોવાથી આજના યુગમાં યુવા વર્ગ તેના તરફ વધુ આકર્ષાયો છે: ભારતમાં ચોથી સદીમાં તેનો ઉપયોગ શરૂ થયો, જે અજંતા-ઈલોરાની ગુફાના શિલ્પ સ્થાપત્ય પરથી ખ્યાલ આવે છે

Whatsapp Image 2024 04 10 At 12.11.30 3Fdb02D5

મહેંદી લાગે કે રખના, ડોલી સજા કે રખના જેવા ઘણા ફિલ્મી ગીતો તથા તેની રસમનાં વિવિધ ભવ્ય કાર્યક્રમો ટીવી સિરીયલ  અને ફિલ્મમાં જોવાથી હવે આપણે પણ પ્રવર્તમાન  યુગમાં પારિવારીક કાર્યક્રમો કરીએ છીએ. મહેંદી એ સુખી લગ્નજીવન સાથે નારી માટે શ્રૃંગારનું એક અભિન્ન અંગ છે. મહેંદી એક  પ્રાચિન  કલા પણ છે જેનો વિકાસ મુગલ કાળમાં વિશેષ થયો હતો. આજે તો  હાથ પગમાં તેને મુકવાનો ક્રેઝ જબ્બર જોવા મળે છે.  મહેંદીનો રંગ જેટલો ઘેરો  હોય તેટલું , તેનું વૈવાહિક  જીવન સારૂ હોય છે, તેવી માન્યતાઓ પણ છે, પણ લગ્ન સમયે   અનેક ચિંતા  રહેતી હોય છે. અને મહેંદી   માનસિક શાંતી આપીને ચિંતામુકત રાખતી હોવાથી મહેંદી  લગાવાની પરંપરા છે.

આપણી પરંપરા-સંસ્કૃતિમાં મહેંદીનું અગ્રિમ સ્થાન છે.  તેને શરીરના હાથ, પગ, ચહેરાની કલા તરીકે ઓળખાય છે.  ખાસ સ્ત્રીઓ પરિવારના શુભ પ્રસંગો જેવા કે સગાઈ લગ્નમાં મહેંદી મુકાય છે. ભારતનાં લગભગ દરેક  રાજયમાં  આ રસમ  સામાન્ય છે. આજે મહેંદી મુકવા વાળને પણ લગ્નમાં બોલાવાય છે. ઘાટા રંગની વિવિધ ડિઝાઈન સાથે વર વધુના   ફોટા પણ હાથમાં સુંદર કલાત્મક   રીતે બનાવાય છે. બંને સંપૂર્ણ  હાથમાં  અને પગમાં મહેંદી મુકવામાં આવે છે.  આપણી ગુજરાતની લાક સંસ્કૃતિમાં ’મહેંદી તે વાવી  માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો ’ જેવા અનેક લોકગીતો છે. લગ્નમાં  મહેંદી રસમ જેવી વિધી પણ કરવામાં આવે છે. આજે તો તેનો પધ્ધતીસરનો કોર્સ કરીને  તેને  વ્યવસાયીક   ધોરણે ધણા લેડીઝ  સારી  આમદાની રળી લે છે.

Whatsapp Image 2024 04 10 At 12.11.30 7Ed17829

મહેંદીનો પ્રથમવાર ઉપયોગ પ્રાચિન  મિસ્રમાં મમીની સજાવટ માટે કરાયો હતો. જોકે આપણા દેશમાં અંજતા ઈલોરાની ગુફાઓનાં વિવિધ શિલ્પ સ્થાપત્ય જોતા તેની શરૂઆત ચોથી સદીથી થઈ હોવાના પૂરાવા મળે છે. આ મહેંદી શબ્દ આપણી પ્રાચિન  ભાષા સંસ્કૃત શબ્દ મેંધિકા ઉપરથી આવ્યો છે. ભારતીય   ઉપમહાદ્વિપ આ એક સામાન્ય ચલણ છે. મહેંદીના  છોડના સુકા પાંદડાને વાટીને મહેંદી  બનાવાય છે. આજે તો તૈયાર પેસ્ટ કે કોન બજારમાં મળી રહ્યા છે.  ઘણા નિષ્ણાંત બહેનો તો પોતે પોતાના હાથમાં મહેંદી મૂકતા જોવા મળે છે. પાકિસ્તાન, ઈરાન, નેપાળ, માલદીવની મહિલાઓ પણ ભારતીય મહિલાની જેમ મહેંદી મુકે છે. તે મહિલાઓ માટે શારીરીક કલાનું એક લોકપ્રિય રૂપ છે. ઉત્તર અને મધ્ય પૂર્વે  આફ્રિકામાં જોવા મળતી કલા મહેંદીને ઘણી મળતી આવે છે.  આવી રીતના  બોડી આર્ટને દક્ષિણ એશિયામાં મહેંદી ડિઝાઈન કહેવાય છે. મહેંદીનો અર્થ જોઈએતો દુલ્હનના હાથ પગ પર મહેંદી  (હિના) કહે છે. જે મહિલાઓની  હથેળીમાં વધુ તો કયારેક પુરૂષો પણ  મુકે છે. મુખ્યત્વે તેનો રંગ ભૂરો હોય છે. પણ કયારેક સુંદરતા વધારવા ડિઝાઈન  અનુરૂપ સફેદ, લાલ, કાળો, ગોલ્ડન જેવા કલરનો પણ ઉપયોગ કરાય છે.

મહેંદીનો એક ઉપયોગ કેન્સર, એલોપેસીયા જેવા રોગથી  પીડીત મહિલા તેના  માથામાં સજાવટ તરીકે કરે છે. આવા દર્દમાં દર્દી વાળ સાવ ખરી જવાથી, એક સારા લુક માટે આનો ઉપયોગ કરાય છે.  હિન્દુ તહેવારોમાં કેટલીય મહિલાઓ  ખંભા અને પીઠ ઉપર મહેંદીની વિવિધ ડિઝાઈન-લોગો વિગેરે કરાવે છે, આવી જ રીતે  પુરૂષો પણ  હાથ પગ પીઠ અને છાતી ઉપર પણ કરાવે છે. ભારતના બંગાળ રાજય અને બાંગ્લાદેશમાં એક લાલ રંગનો મહેંદીનો રંગ ડીઝાઈન અમુક   સમયે ચાલ્યો જાય છે. જયારે ટેટુ જીવનભર એમને એમ જ રહેતો  હોવાથી આજનો  યુવા વર્ગ તેના તરફ વધુ ઢળ્યો છે.

Whatsapp Image 2024 04 10 At 12.11.30 B8E1A100

મહેંદી જેવા વિષયને લઈને ફિલ્મો   હિન્દી કે ગુજરાતી તથા ટીવી   ધારાવાહિક  ના દ્રશ્યો ગીતોમાં વણી લેવામાં આવે છે. મહેંદી રંગ લાગ્યો ગુજરાતી ફિલ્મ પણ  આવી હતી. લગ્નના ગીતો વખતે ગીતકારો આ મહેંદી શબ્દને વણી લઈને  ઘણા ગીતો  લખ્યા છે. આપણા શુભ પ્રસંગોનાં દિવસ અગાઉ જેની સંપૂર્ણ  તૈયારી મહિલા વર્ગ કરી લે તે માત્ર મહેંદી જ છે.ભારતીય પરંપરામાં લગ્ન સગાઈ કે  પરિવારના શુભ પ્રસંગો સાથે આપણા વિવિધ  તહેવારો  જેવા કે દિવાળી, કરવા ચોથ, ભાઈબીજ, નવરાત્રી  દુર્ગાપુજા ઉપર મહેંદી મૂકવામા આવે છે. નવી વહુ ઘરમાં  આવે ત્યારે તેની મહેંદી સુકાઈ નહી ત્યાં સુધી, કશુ જ કામ આપણે કરવા દેતા નથી. એશિયાભરમાં મુસ્લિમ લોકો પણ લગ્ન પ્રસંગે ઈદ જેવા તહેવારોમાં વિશેષ રૂપથી મહેંદી મુકે છે. આજે તો  માથામાં મહેંદી મૂકવામાં આવે છે. શીખ-મુસ્લિમ-હિન્દુ સાથે  અમુક રાજયોમાં   ખાસ આનું મહત્વ છે.  રાજસ્થાની પરંપરામાં મહેંદીનું વિશેષ મહત્વ છે, તો મહેંદી અફઘાનિસ્તાનમાં ખૂબજ પ્રચલીત સાથે ત્યાંની સંસ્કૃતિમાં જોડાઈ ગઈ છે.

આપણી લગ્ન પ્રથામાં દુલ્હાના રિશ્તેદારો ચાંદીની   થાળીમાં  બે મિણબત્તી   પ્રગટાવીને ક્ધયા પક્ષવાળાને  વિતરણ કરે છે. મહેંદી રસમ શરૂ થતા પહેલા  વર પક્ષ અને આવેલા મહેમાનો ક્ધયાના  માથા ઉપર સિકકા ફેંકે છે. આવી ધણી બધી રસમો  ભારતનાં વિવિધ મહેંદી સાથે જોડાયેલી છે. 1990 પછી તો વિદેશોમાં પણ આનુ ચલણ વધ્યું છે. સુખી લગ્ન જીવન સાથે  નારી માટે શ્રૃંગારનું તે એક અભિન્ન અંગ છે.  આપણા પ્રાચિન રીવાજો સાથે મહેંદી પ્રાચિન કલા પણ છે. આ  કલાનો વિકાસ   મુગલોના જમાનામાં  વધુ થયો હતો. અમુક સમાજમાં   શ્રાવણ  મહિનામાં હાથમાં મહેંદી  અને લીલી બંગડીઓ  પહેરવાનો રિવાજ છે.

મહેંદીનો રંગ તરત જ ડાર્ક કરવા લોકો અવનવા  નુશ્ખા કરતા જોવા મળે છે.  શુભ પ્રસંગોએ હાથ પગની શોભા વધારવા મહેંદી મુકવાની  બાબતમા મહિલા વિશેષ   કાળજી લે છે. રંગ ડાર્ક કરવા સરસીયાનું તેલ,  લવીંગનો ભૂકો લીંબુ,  ખાંડ, અથાણાનું તેલ વિગેરેનો  પણ ઉપયોગ કરીને મહેંદીને વધુ ઘટ્ટ બનાવે છે.આપણા બોલીવુડમાં મહેંદી કળાને આગળ ધપાવવા મહેંદી લગાકે   રખના, ડોલી સજા કે  રખના, તથા મહેંકતી મહેંદી હૈ રંગ લાયેગી, જેવા ફિલ્મી ગીતો એ તેનું મહત્વ વધારેલ છે.  ઉનાળો ચાલુ છે. ત્યારે તન-મનની  શિતળતા બક્ષતી મહેંદીની  માંગ વધી રહી છે. મહિલાના શરીરની  ગરમીને આધારે હાથ પર મૂકેલી મહેંદી રંગ પકડે છે. ગરમી જેટલી વધુ એટલો મહેંદીનો રંગ વધુ અને લાંબો સમય ટકે છે. ત્યારબાદ  મહેંદીને  સેકસનો એક નવો આયામ સાંપડયો  અને પુરૂષોને  પોતાની તરફ આકર્ષિત કરવા મહિલાઓ મહેંદી મૂકેલા હાથનો ઉપયોગ  કરતી થઈ હતી.

આરોગ્ય માટે પણ ‘મહેંદી’ની ભૂમિકા મહત્વની

મહેંદીનો ઉપયોગ હાથ-પગમાં અને શુભ કાર્યોમાં જ કરવામાં આવે એવું નથી, આજે તો તેનો ઉપયોગ આરોગ્ય સુધારવા પણ કરાય છે. મહેંદી ચામડીના રોગને જડમૂળથી ખતમ કરે છે, તેમના પાન ચાવવાથી મોઢામાં પડેલ ચાંદા દૂર થઇ જાય છે. કમળામાં પણ તેના પાન વાટીને પાણીમાં નાંખીને તેને ઉકાળીને પીવાથી રાહત થાય છે. આ ઉપરાંત પથરી, દાઝયા ઉપર પણ તેના ઉપયોગથી રાહત થાય છે. લાગ્યા કે દાઝયાની થતી બળતરા દૂર કરવા મેહંદીના પાનનો લેપ ચોપડવાથી રાહત થાય છે. આ ઉપરાંત પણ મેહંદીના પાંદડાના વિવિધ ઉપયોગ જોવા મળે છે.

આફ્રિકાની ભૂમિ પર તથા તેની બાજુની અરેબિયાની ભૂમિ પરના ઊંટ પર રઝળતા આદિવાસીઓએ મહેંદી ની પ્રથાને પ્રચલિત કરી છે. બળબળતીએ ભૂમિ પર આ ભટકતી માનવ જાતિને જ્ઞાન લાદયું કે મહેંદીમાં ઠંડકનો ગુણ છે, જે બીજી બહુ ઓછા વનસ્પતિમાં છે. મેહંદીના આ ઠંડા ગુણધર્મને લીધે તે વધુ પ્રચલિત થઇ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.