Abtak Media Google News

પારકી મા જ કાન વિંધે

કાનની સમસ્યાને હળવાશથી ન લેવી: ઘ્વનિ કે અવાજ પારખવાનું મહત્વનું અંગ છે: શરીરનું સમતોલન અને સ્થિતિ જાળવવામાં કાન મદદ કરે છે: સુશ્રુતે ર8 પ્રકારનાં કર્ણ રોગનું આયુર્વેદમાં વર્ણન કર્યુ છે

આપણા શરીરનાં આંખ, કાન, નાક નાજુક અંગો છે. આને લઇને ઘણી કહેવતો પણ બોલાય છે. આંખો ફાટી જવી, નાક કાપી લીધું, તથા કાનમાં તમરા બોલી ગયા. શરીરનાં તમામ અંગોને ચોકકસ કામ આપેલ છે જેમાં કાન સાંભળવાનું કામ કરે છે. સારૂ કે ખરાબ સાંભળે તો સાંભળવું હોય તો જ સાંભળે ને ઘણીવાર તો એક કાનેથી સાંભળીને બીજે કાને બહાર કાઢી કાઢી નાંખે છે. ઘણાના કાન તો એટલા સરવા હોય છે કે સાવ ધીમા અવાજની વાત પણ સાંભળી લે છે. મહત્વનું અંગ હોવાથી તેની સંભાળ લેવીને બહુ ઊંચો અવાજ ન સાંભળવો નહિંતર કાનનો પડદો ફાટી જાય છે. અતિશય અવાજ આપણા કાન સહન કરી શકતા નથી.

1 5 4

કાન આપણને ભગવાને બે આપ્યા છે એટલે જ આપણે ચશ્મા પહેરી શકીએ છીએ. સ્ત્રીઓ બુટ વિંધાવીને તેમાં બુટીયા, બાલી કે ટોપ્સ પહેરે છે. કાનની રચનામાં જોડાયેલો  છે. અગાઉની શિક્ષણ પ્રથામાં ભૂલ પડતી ત્યારે શિક્ષકો વિદ્યાર્થીના કાન આમળતા હતા. માથાની બન્ને સાઇડ આવેલા કાન ચહેરાની સુંદરતામાં પણ વધારો કરે છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ર8 પ્રકારના કર્ણ રોગોનું વર્ણન કરે છે. કાનનાં દુ:ખાવાને કર્ણ શૂલ કહે છે. કાનમાં પાણી ભરાઇ જવાથી, કાનનો મેલ ફૂલી જાય કે મેલનું દબાણ વધે તો પડદો ફાટી જવાની સંભાળતા રહે છે. ઘણીવાર બહેરાશ પણ આવી જાય છે, તો ઘણીવાર ઓછું સંભળાવા લાગે છે.

કાનો પડદો ફાટી જવાની આપણે વાત કરીએ છીએ પણ પડદો શું છે તે ફાટી જવું એટલે શું તે બાબતે આપણને ખબર હોતી નથી. આપણાં કાનના આંતરિક ભાગમાં મઘ્યકર્ણ અને અંતકર્ણ વચ્ચે એક ત્રિસ્તરીય પડદા જેવી રચના હોય છે જેને મેડીકલમાં ટિમ પૈનિક મેમ્બ્રેન અથવા ઇયરડૂમ કહે છે. કોઇપણ અવાજ કે ઘ્વનિ આપણાં કાનના આંતરીક ભાગ અને ત્યાંથી મગજ સુધી પહોંચે છે ત્યારે આપણે એ ઘ્વનિ સાંભળીએ છીએ. હવે જો કોઇ કારણોસર આ ઇયરડૂમ ફાટી જાય તો કાનમાં ઇન્ફેકશન અને શ્રવણ શકિત નાબુદ થઇ જાશય છે.

1 9 3

ઘણીવાર કાન અને નાક વચ્ચેના આંતરિક ભાગમાં કફ એક ઠો થવાથી કે કાનમાં ઇન્ફેકશન થવાથી પણ કાનનો પડદો ફાટી જાય છે. અત્યંત તીવ્ર અવાજ, પ્લેનની ઘરઘરાટી જેવા ભયાનક ઊંચા અવાજોથી કાનનાં પડદા પર ભારે દબાણ થવાથી પડદો ફાટી જાય છે. ઓડિયો મેટ્રી પરીક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવાથી શ્રવણ શકિત કેટલી હદે પ્રભાવિત થઇ છે તે જાણી શકાય છે. ઘણીવાર કાનના પડદામાં કાળુ પડવાની ફરીયાદ હોય તો ઘણીવાર દવાથી સારુ થાય પણ જે ઇન્ફેકશન અંદર સુધી પ્રવેશ્યુ હોય તો ઓપરેશન કરવું પડે છે. કાનમાં રસી આવવી, ઓછું સંભળાવવું, કાનનો દુ:ખાવો, કાન ભારે લાગવો, ચકકર આવવા વિગેરે નાની મોટી સમસ્યાના પ્રાથમિક લક્ષણો છે. કાનની કોઇપણ સમસ્યાને કયારેય ઢીલાસ ન રાખવી.

  • ધિરે ધિરે બોલ…. કોઇ સુન ના લે

ઘણા બધા ફિલ્મ ગીતો કાનની વાત ને વણી લેવાય છે. ખાનગી વાત હંમેશા નજીક આવીને કાનને જ સંભળાવાય છે. કોઇક અવાજ સાંભળી કે તરત જ પાછુ વળીને જોઇએ છીએ એટલે કેટલું ત્વરીત આદેશ મગજ સુધી પહોચાડે છે. હાલ ના કોરોના વાવાઝોડામાં ખોટી અફવા કાન જ સાંભળે છે. નાના બાળકોને કાન દુ:ખતો હોય ત્યારે તે બોલી શકતો નથી પણ વારંવાર કાન પાસે તેનો હાથ જાય, માથું હલાવે, બેચેન થઇ જાય, ઊંઘતું ન હોય કે ઘાવતું ન હોય ત્યારે તેને કાનની તકલીફ છે એવું માની શકાય છે. કાનના દર્દીઓ માટે ઘઉ, ચોખા, મગ, જવ, જુનુ ઘી, પરવળ, રીંગણ અને કારેલા ખુબ જ ગુણકારી છે.

તમારા કાનની  રચના અને રંગ તમારા વિશે ઘણું બધુ કહી જાય છે. તમારા વ્યકિતત્વ વિશે પણ જણાવે છે. તમારા ચહેરા અને કાનનો રંગ એક સરખો હોવો જોઇએ, જો તેમાં ફેરફાર જણાય તો ત્યાં સુધી લોહી પહોચતું નથી એવું કહેવાય છે. કેલ્શિયમ અને વિટામીનની ઉણપને કારણે આવું બની શકે. તેને નિવારવા દુધ વધારે પીવું જરુરી છે. બીજાું જો તમારો કાન સતત લાલ રહેતો હોય તો તમને કીડનીની સમસ્યા થઇ શકે છે. કાનની બૂટની લાઇન કે કોઇ ક્રીઝ માર્ક હ્રદયની બિમારીની વાત કરે છે. કાનની અંદર રર0  જેટલા એકયુપ્રેસર પોઇન્ટ આવેલા છે. જેને દબાવવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.

1 1 1

તમારી ફિંગર પીન્ટ જેમ દરેક વ્યકિતએ અલગ હોય તેવી જ રીતે કાન પણ અલગ અલગ હોય છે. કાનમાં ત્રણ હાંડકા હોય છે જે હથોડી, એરણ અને પેંગડુ છે. કાનની રચના ઇશ્ર્વરે એટલી સરસ કરી છે કે જેમાં હવામાં રહેલા મોજા કે તરંગો વધારેમાં વધારે ઝડપાઇ જાય અને કાનની નળીમાં પ્રવેશ કરે, કાન સાંભળવાની શકિત ગુમાવી દે તો બહેરાશ આવે છે. ઘણા જન્મ જાત જ આવી ખામી સાથે જન્મે છે. ઘણીવાર કાનમાં ઘંટડી વાગવા જેવા અવાજે આવે છે જેને મેડીકલની ભાષામાં ટેનીકસ કહેવાય છે. ખુબ જ મોટેથી ગીત સાંભળવાને કારણે આ સમસ્યા થાય છે.એક પ્રચલિત કહેવત છે કે પુરૂષ એક કાનેથી વાત સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. જયારે સ્ત્રી બન્ને કાનેથી સાંભળે અને મોટેથી બહાર કાઢે છે. કાનમાં પહેરેલા ઝુમકાને લીધે સ્ત્રીનો ચહેરો આકર્ષક દેખાય છે. આપણી સાંસ્કૃતિમાં બાળપણમાં જ કાન વીંઘાવાય છે. આની પાછળ એકયુ પંકચરનું શાસ્ત્ર છે. કોઇ વ્યકિત વ્હેલી હોય તેને આપણે કાચા કાનનો કહીએ છીએ. કાન પાંચ જ્ઞાનેન્દ્રિયમાંથી એક ઇંદ્રિયો છે. કાનનું કુંડલ, ક્ષેત્ર-ર, છિંક ક્ષેત્ર અને બૂટી એમ કાનના ત્રણ વિભાગો હોય છે. કાનના ઉપરના ભાગને કુંડલી ક્ષેત્ર કહેવાય છે.

1545

કાનના પડદામા કાણું પડવું !

ઓડિયોમેટ્રી પરિક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવો અને તેના કારણો કે શ્રવણ શકિત કેટલી હદે પ્રભાવિત થઇ છે તે જાણી શકાય છે. કાનમાં કાણું પડવાની ફરીયાદ ઘણીવાર કરીએ છીએ. ત્યારે તેમાં દવાથી સારુ થાય છે પણ ઇન્ફેકશન કાનની અંદર પ્રવેશી ગયું હોય તો સર્જરી કરવી જરુરી બને છે. આજના યુગમાં વિવિધ કાનની સમસ્યા નિવારણ માટે આધુનિક ટ્રીટમેન્ટ અને ઇલાજો સાથે અદ્યતન મશીનરી ઉપલબ્ધ છે.

કાનમાં તમરા બોલવા માંડયા !

ઘણીવાર કાનમાં ઘંટડી, સીટી જેવા વિવિધ અવાજો સંભળાય છે. કુદરત આપણને આવનારી દુર્ધટના વિશે અગાઉથી જ સાવચેત કરે છે. આપણું શરીર પણ આવનારી ગંભીર બીમારીઓ વિશે સાવચેત કરે છે. કાનમાં ઘંટડી જેવો અવાજ વાગે તેને વિજ્ઞાનની ભાષામાં ટેનીટસ કહેવાય છે. તેનો સંબંધ મગજના કેટલાક નેટવર્કમાં થતા: ફેરફારો સાથે છે. ટીનીટસ અદ્રશ્ય છે, જેવી રીતે ડાયાબીટીસ કે હાઇપરટેન્શન ને માપી શકતા નથી. તેવી રીતે કાનની આ તકલીફને માપી શકતા નથી. અત્યંત તીવ્ર અવાજથી અને અચાનક ભયાનક ઊંચો અવાજથી કાનના પડદા પર ભારે દબાણ આવવાથી કાનનો પડદો ફાટી જાય છે. આપણે ઘણી વાર વાતચીતમાં પણ અવાજની તુલના વિશે કાનમાં તમરા બોલી ગયા એવું બોલીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.