Abtak Media Google News

ધ્રાંગધ્રા પંથકમા મહિલા સબંધીત ગૃન્હાઓનો આંકડો દિન-પ્રતિદિન વધતો જાય છે તેવામા ધ્રાંગધ્રા તાલુકામા માત્ર એક અઠવાડીયામા જ બે સગીરવયની બાળાઓ પર બળાત્કારના કિસ્સા બન્યા છે. હાલમાજ ધ્રાંગધ્રા તાલુકામા રાવળીયાવદર ખાતે બે સંતાનોના પિતા દ્વારા 17 વષઁની સગીરાને ભગાડી જઇ વારંવાર બળાત્કાર ગુજાયોઁ હતો.

તેવામા વધુ એક બળાત્કારનો કિસ્સો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા નોંધવા પામ્યો છે જેની સંપુણઁપણે વાત કરવામા આવે તો ધ્રાંગધ્રા શહેરના આંમ્બેડકર વિસ્તારમા રહેતી સગીરાને તેઓના વિસ્તારમા રહેતો દિલીપ રાઘવજી રાઠોડ નામના યુવાને આ સગીરાને ફોસલાવી પ્રેમજાળમા ફસાવી વારંવાર બળાત્કાર ગુજાયોઁ હતો અંદાજે એક વષઁ સુધી સગીરાને પ્રેમની લાલચ આપી બાદમા તેના પર વારંવાર બળાત્કાર કરાયો હતો જ્યારે બળાત્કાર કયાઁ બાદ પણ આ યુવાને સગીરાને ભગાડી જઇ રાજ્યના કેટલાક સ્થળોએ દુષઁક્રમ આચયુઁ હતુ.

બાદમા સગીરા દ્વારા લગ્નની વાત કરતા તુરંત આ હવસખોર યુવાને લગ્નની ચોખ્ખી મનાઇ કરી હતી જેથી સગીરાને આ હવસખોર યુવાન માત્ર પોતાના શરીર સુખ માટે જ ખોટા લલચાવતો હોવાની જાણ થતા સગીરાએ પોતેજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને દિલીપ રાઘવજી રાઠોડ વિરુધ્ધ ફરીયાદ નોંધી વારંવાર બળાત્કાર કરાયો હોવાનુ જણાવાયુ હતુ જ્યારે સગીરાની ફરીયાદ હાથ ધરી હાલ આ હવસખોર શખ્સને પણ ઝડપી પડાયો છે તથા સગીરાને હોસ્પીટલ ચેકઅપની કાયઁવાહી શરુ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.