Abtak Media Google News

જામજોધપુર તાલુકા મઘ્યાંહન ભોજન યોજના યુનિયન દ્વારા મામલતદાર કલા સેવાને તેમના વિવિધ પ્રશ્ર્નો જેવા કે ગુજરાત સરકારી દ્વારા સંચાલકોને ૧૬૦૦, રસોયાને ૧૪૦૦, જેટલું વેતન આપવામાં આવે છે જે લધુતમ વેતનની મર્યાદાથી ઘણું ઓછું છે. આ વેતનથી કારમી મોંધવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલી પડે છે. અને મેનું પણ તૈયાર ન હોય અને નવા મેનું મુજબ જે નાસ્તો આપવામાં આવે છે.

જેમાં બપોરના ભોજનમાંથી બચત કરીને બપોર પછીના નાસ્તા માટે અલગ પુરવઠો આપવામાં આવતો નથી. આ વિવિધ પ્રશ્ર્નોનું તાત્કાલીક નિરાકરણ આવે તે માટે જામજોધપુર મઘ્યાંહન ભોજન યોજના યુનિયન દ્વારા મામલતદારને આવેદન આપી રજુઆત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.