Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના જહાંગીર પૂરા વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે . જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસની ઘટના છે જ્યાં એક યુવકે યુવતીને 10માં માળેથી ફેંકી દીધી હતી . 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહએ સીદી હબીબાબાનુ ઐયુબભાઈને 10 માં માળેથી ફેંકી હત્યા કરી છે . સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ  થઈ છે .

Advertisement

જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે યુવતીની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. ત્યાર બાદ તેની સગાઈ તેના ભાઈ સાથે  તોડી નાખવામાં આવી હતી . સોશિયલ મીડિયાના મારફતે યુવતી તેના મોટાભાઈ જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરી સંપર્કમાં આવી હતી. ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી હતી અને  યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો હતો.

યુવતીએ બચવા માટે ચપ્પુ વડે જુનેદ  પર હુમલો કર્યો હતો જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ યુવકે યુવતી પાસેથી ચપ્પુ લઇ યુવતીને ઘરના દસમાં માળની ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી હતી. યુવતીનું  ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું . ઇજાગ્રસ્ત યુવક જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોલીસે તપસ હાથ ધરી હતી . પોલીસે યુવકની  ધરપકડ કરી વધુ  તપસ હાથ ધરી છે .

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.