Abtak Media Google News
  • નર્સિંગની વિદ્યાર્થીનિએ પોતાના ઘરે જ મોત વહાલુ કરી લેતા પરિજનોમાં અરેરાટી મચી

જામનગર સમાચાર :  જામનગર જિલ્લામાં અકાળે મોતનો એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં યુવતીએ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણી લેતા અરેરાટી મચી છે. મોત અંગે પ્રાથમિક તારણમાં એવુ સામે આવ્યું કે ઘરકામ બાબતે પોતાના નાનાભાઈ સાથે યુવતીને માથાકૂટ થઈ હતી. જે ઝઘડો થયા બાદ આ બાબતનું મનમાં લાગી આવતા તેણીએ ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું.

આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર વાત કરવામાં આવે તો કે જામજોધપુરના સોનવડીયા ગામમાં રહેતી અને અભ્યાસ કરતી જયશ્રીબેન કમલેશભાઈ રાઠોડ નામની ૨૦ વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘરે હતી.આ દરમિયાન પોતે ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે જાણ થતા તાત્કાલીક પરિજનો દ્વારા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે તે અગાઉ તેનું મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા કમલેશભાઈ વલ્લભભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જયશ્રીબેન ને તેના નાના ભાઈ સાથે ઘરકામ કરવા બાબતે ઝઘડો થયો હતો, જેથી તેણીને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.