Abtak Media Google News
  • યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો
  • સીટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો કર્યો 

જામનગર ન્યૂઝ : જામનગરમાં નવાગામ ઘેડ નજીક સરસ્વતી સોસાયટીમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ પાછળ સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભુપત કારાભાઈ કંટારીયા નામના ૩૮ વર્ષના શ્રમિક યુવાને ગઈ કાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભરત કારાભાઈ કંટારીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.