Abtak Media Google News

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ આયોજીત કાર્યક્રમમાં પૂ.મોરારીબાપુએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં ઉપક્રમે ગાંધીજીના વિદ્યાર્થીકાળનાં નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલામાં ગાંધી પ્રાર્થનાનો એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પૂજય ગાંધીજી દરરોજ સાંજે જે સાયં પ્રાર્થના કરતા હતા તે પ્રાર્થનાનું ટ્રસ્ટે કરાવેલ ખાસ રેકોર્ડિંગનું ગાન (ડીવીડી ઉપર) પ્રાર્થનારૂપે કરવામાં આવેલ. તદઉપરાંત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ, મુલાકાત લેનાર મહાનુભાવો તથા નાગરિકો દ્વારા પૂ.ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરેલ. પૂ.ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પૂજય મોરારીબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમણે વિદ્યાર્થીઓને તથા ઉપસ્થિત સર્વેને ગાંધી સંદેશ આપેલ હતો. આ પ્રસંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં મંત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, વિનોદભાઈ ગોસલીયા, ડો.કુમુદબેન નેને વગેરેએ પૂજય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.