Abtak Media Google News

જિલ્લામાં કોરોનાના કુલ ૨૮ કેસ નોંધાયા, બેના મોત

જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ પરિસ્થિતિની જાણકારી આપવા જિલ્લાના મીડિયાકર્મીઓ સાથે કલેક્ટર રવિશંકર દ્વારા કલેક્ટર કચેરીના સભાખંડમાં એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યુ  હતું.

કલેક્ટર રવિશંકરએ ઉપસ્થિત સૌ કોવિડ-૧૯ ની સ્થિતિ અંગે મીડિયાકર્મીઓને જાણકારી આપતા જણાવ્યું કે, આજ સુધીમાં કોવિડ-૧૯ અંગે જે ટેસ્ટ કરવામાં આવેલ હતાં તેમાના ર નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયેલા છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ ના કુલ ર૮ કેસ નોંધાયેલ છે જેમાંથી ર કેસ કે જેઓ બાળકો હતાં તેમનું અવસાન થયેલ છે જેથી કુલ ર૬ એક્ટિવ કેસો છે જેમાં ૧ ખંભાળિયા અને રપ જામનગર જિલ્લાના છે. અત્યારે કોવિડ-૧૯ના તમામ દર્દીઓની તબિયત સ્થિર છે તેમાંના કોઈને પણ કોઈપણ જાતની મુશ્કેલી નથી.

કોવિડ-૧૯ ના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપેલ છે તેવા સમાચારો વહેતા થયા છે. તેનું ખંડન કરતા કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કોઈપણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ નથી. તાજેતરમાં સરકાર દ્વારા કોવિડ-૧૯ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત કોવિડ-૧૯ પોઝિટિવ હોય અને માઈલ્ડ સિસ્ટમ્સ હોય તેવા દર્દીઓ આપણી પાસે આવ્યા પછી કોમ્પલિકેશન ન હોય તો તેવી પરિસ્થિતિમાં ૧૦ દિવસ પછી તેમને ઘરે પહોંચાડવામાં આવે છે અને ત્યારપછી તેઓએ ૧૪ દિવસ સુધી ઘરે ક્વોરેન્ટાઈન રહેવું પડે છે.

જામનગરની જનતાને અનુરોધ કરતા કલેક્ટર રવિશંકરએ ઉમેર્યું કે, જામનગરમાં આવેલા નવા ર કેસો અંગે કોઈપણ નાગરિકે ગભરાવવાની જરૃર નથી. તેઓ બન્ને લોકો અમદાવાદથી પ્રવાસ કરીને જામનગર આવેલ હતાં. જામનગર જિલ્લાની હદમાં પ્રવેશ કરતા જ તેઓનું ચેકીંગ કરવામાં આવેલ અને તેઓને સમરસ હોસ્ટેલમાં સીફ્ટ કરવામાં આવેલ હતાં. હવે તેઓને હોસ્પિટલમાં આઈસોલેશનમાં સીફ્ટ કરવામાં આવશે.

જામનગરમાંથી ૧૦૪૩ બસો દ્વારા અને ૪૪ લોકો અન્ય નાના વાહનોમાં મળી કુલ ૧૦૮૭ વાહનોમાં શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્રએ પોતાના વતનમાં જવાની મંજુરી આપવામાં આવેલ છે. જેમાંના મોટા ભાગના લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગયા છે.

બિહારના ૧ર૩૦ શ્રમિકોને તેમના વતનમાં મોકલવા માટે ૧ ટ્રેન જામનગરથી મોકલવામાં આવેલ છે. ઉત્તરપ્રદેશના ૭૧૧૪ શ્રમિકો માટે પ ટ્રેનો મોકલેલ છે. આમ શ્રમિકોને ઘરે પહોંચાડવા મો વહીવટી તંત્ર, રેલવે તંત્ર અને પોલીસ તંત્ર સુસજ્જ છે તેમ કલેક્ટર રવિશંકરએ વધુમાં ઉમેર્યું હતું.

વહીવટી તંત્ર શ્રમિકો પાસેથી આવેલ અરજીને ધ્યાને લઈ લીસ્ટ તૈયાર કરે છે તે વહીવટી તંત્ર દ્વારા લગત રાજ્ય સરકારને મંજુરી અર્થે મોકલવામાં આવે છે. તે રાજ્ય સરકાર દ્વારા મંજુરી મળ્યે જ અહિંથી શ્રમિકોને ટ્રેન મારફત મોકલવામાં આવે તે ટ્રેન તે રાજ્યમાં દિવસે જ પહોંચે તે રીતે રેલવે તંત્ર દ્વારા ટ્રેન ઉપડવાનો સમય નિયત કરવામાં આવે છે. વહીવટી તંત્ર ટ્રેક ક્યારે ઉપડશે તેની જાણ લોકોને અગાઉથી નથી કરતું કારણ કે બધા પેસેન્જરોના નામની યાદી વહીવટી તંત્ર પાસે છે. વહીવટી તંત્ર પહેલા પોલીસ મારફત તમામ પેસેન્જરોને તેમના ઘરેથી લઈ રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે ત્યારપછી રેલવે સ્ટેશન ઉપર તેમની તબિયતનું ચેકીંગ કરવામાં આવે છે. ત્યારપછી જ તેઓને ટ્રેનમાં બેસવા દેવાની મંજુરી આપવામાં આવે છે. આથી જો અગાઉથી શ્રમિકોને ટ્રેનના સમયની જાણ થાય તો તેઓ પગપાળા પહોંચી રેલવે સ્ટેશન પહોંચે છે અને પોતાની જાતને અને પોતાના પરિવારને કોરોના સંક્રમણના ખતરામાં મૂકે છે તેમ કલેક્ટર રવિશંકર દ્વારા જણાવાયું હતું.

જામનગરમાં કોઈ કેસો થયેલ નથી જે કેસો છે તે અન્ય જિલ્લાઓમાંથી પ્રવાસ કરીને આવેલ મુસાફરોના જ છે.જેથી વહીવટી તંત્ર દ્વારા બધા જિલ્લાઓને સૂચના આપવામાં આવેલ છે કે પહેલા અમારા જિલ્લામાં આવતા મુસાફરોની યાદી અમને મોકલો જેથી કરીને અમે તેમના સ્ક્રીનીંગથી લઈને તેમના રહેવા માટેની પૂરી સગવડતા કરી શકીએ જે લોકો છૂપી રીતે ગામડાઓના રસ્તે જામનગરમાં ઘૂસી ગયા છે તેમના ઉપર ફોજદારી કાર્યવાહી કરેલ છે. અત્યાર સુધીમાં કુલ ૪૪,૬૪૪ લોકોના જામનગરથી તેમના વતન ગયા છે તેમ કલેક્ટરએ  ઉપસ્થિત મીડિયાકર્મીઓને જણાવેલ હતું.

આ વાર્તાલાપમાં કલેક્ટર રવિશંકર સાથે પ્રાંત અધિકારી જામનગર શહેર હર્ષવર્ધન સોલંકી તથા જામનગરના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.