Abtak Media Google News

છત્તીસગઢમાં પત્રકાર સુરક્ષા આંદોલન શરૂ કરવાનું રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલનું એલાન

દેશના 20 થી વધુ રાજ્યોમાં પ્રદેશથી લઈને તાલુકા સ્તર સુધીનું સંગઠન ધરાવતા ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા દેશવ્યાપી પત્રકાર સુરક્ષા કાનૂન ને લઈને આંદોલનનો શંખનાદ કરવામાં આવ્યો છે.

છત્તીસગઢના સારંગગઢ ખાતે પ્રદેશ સ્તરીય પત્રકારોની કાર્યશાળામાં સેંકડો ની સંખ્યામાં ઉપસ્થિત  પત્રકારોને સંબોધન કરતા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં હાલ પત્રકારત્વ પોતાની ગરિમા ખોઈ રહ્યું છે અને સ્વતંત્ર પત્રકારત્વ હવે ઇતિહાસની ગર્તામાં વિલન થવા જઈ રહ્યુ છે

દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલનની ઘોષણા કરતા જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશની નજર હાલ છત્તીસગઢ તરફ છે. અમે ઈચ્છીએ છીએ કે ટૂંક સમયમાં છત્તીસગઢ દેશ નું પહેલું રાજ્ય બને જ્યાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવે તે હેતુથી અઇઙજજ દ્વારા દેશવ્યાપી પત્રકાર સુરક્ષા મહા અભિયાન ચલાવવામાં આવશે. પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ સાથે ગુજરાતના પોરબંદરથી ગાંધીજીના જન્મદિન 2, ઓકટોબર,2023 નાં દિવસે “પત્રકાર સુરક્ષા યાત્રા” શરૂ કરવામાં આવશે જે 20 થી વધુ રાજ્યોમાંથી પસાર થઈને 6, ડિસેમ્બર,2023 ડો.બાબાસાહેબ આંબેડકર ના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે દિલ્હીમાં વિરામ લેશે. પત્રકાર સુરક્ષા યાત્રા દરમિયાન દેશભરના તમામ સ્તર નાં પત્રકારોને એક મંચ પર લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે તથા પત્રકાર સુરક્ષા કાનૂનની ડ્રાફ્ટની કોપીઓ પણ પત્રકારોને વિતરિત કરવામાં આવશે તેમજ સમગ્ર દેશમાંથી એક લાખથી વધુ પત્રકારોની સહીઓ આવેદન સ્વરૂપે એકત્રિત કરવામાં આવશે.

કાર્યશાળા સંપન્ન થયા બાદ મળેલી “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ની રાષ્ટ્રીય કાર્યકારિણીની ની બેઠકમાં યાત્રાની તૈયારી બાબતે મનોમંથન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પત્રકાર સુરક્ષા યાત્રાને સફળ બનાવવા માટે કામ પર લાગી જવા દેશભરના પત્રકારોને અનુરોધ કરવામાં આવેલ આવ્યો હતો. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, નવી દિલ્હી, કર્ણાટક, તેલંગાણા સહિતના રાજ્યોના પત્રકાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ ઉપરાંત “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ના ગુજરાત નાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અજય પરમાર અને કારોબારી સદસ્ય જીતુભાઈ લખતરિયાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. સારણગઢ ખાતે યોજાયેલ પત્રકારોની કાર્યશાળા માં છત્તીસગઢ સરકાર નાં કેબિનેટ પ્રધાન ઉમેશ પટેલ અને નગર વિકાસ મંત્રી ડો. શિવ ડહરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નગર વિકાસ મંત્રી ડો. શિવ ડહરિયા એ આ તકે સારણગઢ શહેર માં પત્રકાર ભવન નાં નિર્માણ માટે રૂ.20 લાખ ની ગ્રાન્ટ ફાળવણી ની જાહેરાત કરી હતી. દેશનાં સુપ્રસિદ્ધ હાસ્ય કવિ પદ્મશ્રી સુરેન્દ્ર દુબે એ મંચ સંચાલન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.